Ticker

6/recent/ticker-posts

દશેરા વિજયાદશમી | Dashera Vijya Dashmi



 દશેરા વિજયાદશમી છે

_______________________

વિજયાદશમી ઉત્સવ :- ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે પુત્રો ! અલ્પ સંધ્યા સમય પસાર થયો હોય ને તારા મંડળ કંઇક ઉદય પામ્યું હોય એ કાળ સર્વકાર્યના અર્થને સિદ્ધ કરી આપનારો ''વિજય'' નામનો કાળ કહેલો છે.૧ 


નવમી કે દશમી તિથિની તે કાળમાં વ્યાપ્તિ હોય કે ન હોય, પરંતુ શ્રીકૃષ્ણ ભગવાનના સેવકોએ એ ''વિજયોત્સવ'' નવમીના વેધવાળી દશમી તિથિએ જ કરવો.૨ 


કારણ કે આસોસુદ દશમીની તિથિએ શ્રવણ નક્ષત્રમાં ભગવાન શ્રીરામચંદ્રજીએ કિષ્કિન્ધાપુરીથી રાવણ વિજય માટે પ્રયાણ કર્યું હતું. તેથી મનુષ્યોએ તે દિવસે વિજયકાળમાં શ્રવણ નક્ષત્રના સમયે પોતાના ગામની સીમાનું ઉલ્લંઘન કરવું.૩ 


એ દિવસે ભગવાનને રાજાધિરાજનાં વસ્ત્રો ધારણ કરાવવાં. સુગંધીમાન પુષ્પોના હાર અને તોરા ધારણ કરાવવા. સુંદર ચંદન ચર્ચવું.૪ 


દૂધપાક અને ઠોર આદિ પક્વાન્નોનું વિશેષપણે નૈવેદ્ય ધરવું. સાયંકાળે અતિશય શુદ્ધ જગ્યાએ ઉગાડેલા યવના અંકુરોને તોરાની પેઠે મસ્તક પર ધારણ કરાવવા.૫


ગીત વાજિંત્રોના મધુર ધ્વનિની સાથે ભક્તિભાવપૂર્વક મોટો ઉત્સવ કરવો. આ ઉત્સવમાં શ્રીકૃષ્ણ ભગવાનનાં વિજયપદ્યોનું ગાન કરાવવું.૬ 


श्रीनारायणमुनिरुवाच -


ईषत्सन्ध्यामतिक्रान्तः किञ्चिदुद्बिन्नतारकः । विजयो नाम कालोऽयं सर्वकार्यार्थसाधकः ।। १ 


तस्मिन्काले दशम्यास्तु व्याप्त्यव्याप्त्योर्दिनद्वये । उत्सवः पूर्वविद्धायां कार्यः श्रीकृष्णसेवकैः ।। २


श्रवणर्क्षेऽश्विपूर्णायां काकुत्स्थः प्रस्थितो यतः । उल्लङ्घयेयुः सीमानं तद्दिनर्क्षे ततो नराः ।। ३


वासांसि भगवन्तं तु नृपवद्धारयेत्तदा । सुगन्धिपुष्पहारांश्च शेखरांश्चारुचन्दनम् ।। ४


पायसं स्थिरकादीनि विशेषेण निवेदयेत् । सायं यवांङ्कुराञ्छुद्धान्धारयेच्छेखरानिव ।। ५


महान्तमुत्सवं भक्तया गीतवादित्रनिःस्वनैः । कारयेद्वापयेदत्र जयपद्यानि च प्रभोः ।। ६

(સત્સંગિજીવન પ્રકરણ ૦૪ સ્વાધ્યાય ૫૭)

Post a Comment

0 Comments

Pages